Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

બજરંગાવાડીના વેપારી અગ્રણી ઘનશ્યામસિંહ રાઠોડનો જન્મદિન

રાજકોટ તા. ૧૨ : શહેર ભાજપ રાજકોટ વોર્ડ નં. ૨ ના ઉપપ્રમુખ તથા બજરંગવાડી વેપારી એસો.ના ખજાનચી ઘનશ્યામસિંહ રાઠોડ (ભાણુભા) નો આજે જન્મ દિવસ છે. યશસ્વી જીવનના ૩૫ માં વર્ષમાં પ્રવેશી રહેલ ઘનશ્યામસિંહ સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને લોકોના કામો માટે હંમેશા તત્પર રહે છે. આજે તેમના જન્મ દિવસે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. (૧૬.૧)

(11:37 am IST)