Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

એડવોકેટ હિરેન્‍દ્ર મકવાણાનો જન્‍મદિન

રાજકોટઃ  સીનીયર એડવોકેટ શ્રી તનસુખભાઇ ગોહેલના સીધા માર્ગદર્શન હેઠળ વકીલાતની શરૂઆત કરનાર એડવોકેટશ્રી હિરેન્‍દ્ર જે. મકવાણાનો આજે જન્‍મદિવસ છે. તેઓ રાજકોટ નાગરીક સહકારી બેંક, રાજકોટ ડિસ્‍ટ્રીકટ કો. ઓપરેટીવ બેંક(આર.ડી.સી. બેંક)તથા રાજકોટ મ્‍યુનીસીપલ કોર્પોરેશનની આવાસ યોજના હેઠળનાં પેનલ એડવોકેટ તરીકે ઘણી જ ઉમદા સેવાઓ આપી રહ્યાં છે. હિરેન્‍દ્રભાઇ અનેક સામાજીક સંસ્‍થાઓ તેમજ દરજી જ્ઞાતિની સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે.ઘણી નાની ઉમરે સંઘર્ષ કરી તેઓએ એલ.એલ.બી. ની ડીગ્રી પ્રાપ્ત કરી આજે તેઓ પોતાને મળેલ સંઘર્ષ અન્‍ય કોઇને ન વેઠવો પડે તે હેતુથી અનેક લોકોને સામાજીક રીતે  ઉપયોગી થતાં રહે છે. અને સમાજનાં નીચલા વર્ગના ગરીબ પરીવારોને આવાસ યોજના તળે ફાળવાયેલ મકાનમાં નીઃશુલ્‍ક માર્ગદર્શન પણ આપતા રહે છે. એક ઉમદા વકીલ હોવાનાં નાતે ખુબજ લોકચાહના મેળવેલ છે. તેઓના આજના જન્‍મદિવસ નીમીતે અનેક એડવોકેટસ મિત્રો, શુભચિંતકો, સગા-સબંધી, મિત્રવર્તુળ તથા પ્રશાંત પબ્‍લિસીટી તરફથી શુભેચ્‍છાઓ પાઠવવામાં આવેલ છે. (મો.નં.૯૩૨૭૨૫૫૫૫૧)

(4:04 pm IST)