Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

સફળતાથી ચમકતા હીરામણિના 'હીરા' પર શુભેચ્છા વર્ષા

'વાઈબ્રન્ટ' વ્યકિતત્વ વરૂણ નરહરિ અમીનઃ હેપ્પી બર્થ ડે

રાજકોટઃ અમદાવાદની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા જનસહાયક ટ્રસ્ટ સંચાલિત શ્રી હીરામણિ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વરૂણ નરહરિ અમીન માટે ધન્ય આજની ઘડી રળિયામણી, ૨૪માં વર્ષમાં પ્રવેશની વધામણી...

ચુંબકીય વ્યકિતત્વ ધરાવતા શ્રી વરૂણ નરહરિ અમીનનો જન્મ તા. ૧૫-૨-૧૯૯૭માં થયો હતો. હીરામણિ સ્કૂલમાં કે.જી.થી ધો. ૧૨ સુધીનો અભ્યાસ કરી નિરમા યુનિવર્સિટીમાંથી એમ.બી.એ.ની ડીગ્રી પ્રાપ્ત કરી છે. હાલ ગુજરાત યુનિવર્સિટીમાં બી.કે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં ફાઈનાન્સ વિષયમાં પી.એચડી.નો અભ્યાસ કરી રહ્યા છે. જનસહાયક ટ્રસ્ટ સંચાલિત હીરામણિ સ્કૂલમાં મેનેજીંગ ટ્રસ્ટી તરીકે હાલ કાર્યરત છે. ચમકતા-દમકતા ચુંબકીય વ્યકિતત્વવાળા શ્રી વરૂણ અમીન આજે શુભેચ્છા વર્ષાથી ભીંજાઈ રહ્યા છે.

ફોન નં. ૦૨૭૧૭ - ૨૪૨૫૦૫ - અમદાવાદ

(11:23 am IST)