Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ભાવનગરના પૂર્વ ડી.ડી.ઓ., રાજકોટના પૂર્વ કલેકટર

પંચાયત વિભાગના અગ્રસચિવ એ.કે. રાકેશનો કાલે જન્મદિન

રાજકોટઃ. રાજ્યમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્રસચિવ તરીકે કાર્યરત શ્રી અમરેન્દ્રકુમાર રાકેશનો જન્મ તા. ૨૧ જુલાઈ ૧૯૬૪ના દિવસે થયેલ. આવતીકાલે ૫૬માં વર્ષના દ્વારે ટકોરા મારશે. તેઓ ૧૯૮૯ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે.

 

મૂળ બિહારના ગયા જિલ્લાના ટેકરી તાલુકાના અમરપુર ગામના વતની શ્રી એ.કે. રાકેશ અગાઉ ભાવનગર અને ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટ, પંચમહાલ અને પાટણમાં જિલ્લા કલેકટર, નર્મદા નિગમમાં સંયુકત સચિવ, રાજ્યમાં વિકાસ કમિશનર, નિર્મળ ગુજરાત અભિયાન નિયામક, નાગરિક પુરવઠા નિગમમાં મેનેજીંગ ડીરેકટર, મેરીટાઈમ બોર્ડમાં મુખ્ય વહીવટી અધિકારી, કુટિર અને ગ્રામોદ્યોગ કમિશનર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. આવતીકાલના જન્મદિન નિમિતે આજથી જ તેમના પર શુભેચ્છા વર્ષા શરૂ થઈ ચૂકી છે.

 

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૧૦૩, મો. ૯૯૭૮૪ ૦૭૩૨૮ - ગાંધીનગર

(1:10 pm IST)