Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

રાજકોટના યુવા મહિલા એડવોકેટ ચાંદનીબેન પુજારાનો જન્મદિવસ

રાજકોટ તા. ૧૮: રાજકોટના યુવા એડવોકેટ ચાંદની વી. પુજારા એ રાજકોટ ખાતે વર્ષ-ર૦૧૬ થી જુનીયર એડવોકેટ તરીકે એડવોકેટ તથા નોટરી હરેશ બી. પરસોંડા સાથે વકીલાતની શરૂઆત કરેલી અને હાલમાં તેઓ પરસોંડા એસોસીએટ સાથે સંકળાયેલા છે અને તેઓએ પોતાના સારા-સ્વભાવથી વકીલ મિત્રોમાં ખુબજ સારી ચાહના મેળવેલછે અને કાયદાકીય રીતે યુવા એડવોકેટ એ ફેમીલી તથા નેગોશીયેબલ તથા રેવન્યુ પ્રેકટીસમાં ખુબ સારી પ્રગતી કરેલ છે તેઓની ખંત અને મહેનત થકી યુવા એડવોકેટ તરીકે સારી નામના પ્રાપ્ત કરેલી છે ખાસ કરીને પોતાના સમાજમાં એક સારા યુવા એડવોકેટ તરીકે ખુબજ ટુકા સમયની વકીલાતમાં પોતાની આગવી છાપ ઉભી કરેલ છે તેમજ રાજકોટ બારના પેરાલીગલ વોલેન્ટીયર તરીકે ફરજ બજાવેલ છે. તેમજ રાજકોટ બાર એસોસીએશન તથા રાજકોટ મહીલા બારના તમામ વકીલ મિત્રો સાથે ખુબજ મળતાવળો સ્વભાવના કારણે બહોળો મિત્ર વર્ગ ધરાવે છે. આમ તેઓના મળતાવળા સ્વભાવના કારણે વકિલ મિત્રોમાં ખુબજ સારી ચાહના ધરાવે છે. આજરોજ તેમનો જન્મ દિવસ હોવાથી વકીલ મિત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો તરફથી તેમના મોબાઇલ નં. ૮૮૪૯૧ ૩૭૩રર ઉપર તથા મોબાઇલ નં. ૯૦૩૩૯ ૬૪૩૦૧ ઉપર શુભેચ્છા પાઠવવામાં આવી રહેલ છે.

(3:22 pm IST)