Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

સુરેન્દ્રનગરના અકિલાના યુવા પત્રકાર ફઝલ ચૌહાણનો જન્મદિન

વઢવાણ તા.૧૮ :  સુરેન્દ્રનગરમાં ત્રણ પેઢીથી અખબારી આલમ સાથેનો અતુટ નાતો ધરાવતા બાબુલાલ ચૌહાણના પુત્ર ફારૂક ચૌહાણ અને ફઝલ ચૌહાણ-અખબારી ક્ષેત્રમાં જેને આગવી ઓળખ મેળવી અને કર્મ-ધર્મ ક્ષેત્રને આગળ કરી અને પોતાની રીતેજ પોતાનુ કાર્ય કરવામાં માનનાર આ પરીવારમાં આજે યુવા પત્રકાર ફઝલ ચૌહાણનો ર૦ વર્ષ પુર્ણ  કરી અને આજે ર૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

ત્યારે ફઝલ ચૌહાણ (બી.કોમ.) સુધીનો અભ્યાસ કરી અને છેલ્લા પ વર્ષથી અકિલાના પત્રકાર તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે લોકપ્રશ્નોને વાંચા આપવા માટે એની એક આગવી ઓળખના કારણે જીલ્લાના તમામ તાલુકાઓમાં પણ ફઝલ ચૌહાણે આગવી ઓળખ બનાવી છ.ે  ત્યારે આજના જન્મદીન અવસરે દાદા બાબુલાલ-પિતા ફારૂકભાઇ, માતુશ્રી અંજુમનબેન - બહેન શબનમ, બનેવી સરફરાજભાઇ સાથે પરિવારજનો દ્વારા આજના જન્મદીન અવસરે દુવા કરવામાં આવી છે. ઉત્તરોત્તર પ્રગતી કરી લોકચાહના મેળવે સાથો સાથ સંતો-મહંતો અને પત્રકારો અને રાજકીય લોકો દ્વારા પણ શુભકામના પાઠવવામાં આવેલ છે.

(11:39 am IST)