Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટના મંત્રી ભરતભાઇ પારેખનો જન્મદિન

રાજકોટ તા.૧૬ : જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ ના મંત્રી ભરતભાઇ પારેખનો આજ ગુરૂપુર્ણીમાના શુભ દિવસે જન્મદિવસ છે. તેઓ ૬૬માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ ટુર્સ અને ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવે છે. જૈન જાગૃતિ સેન્ટરમાં પુર્વ પ્રમુખ તરીકે રહી ચુકયા છે. રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, એનીમલ હેલ્પલાઇન , જીવદયા ગ્રુપ રાજકોટ જેવી સંસ્થાઓમાં એક યા બીજી રીતે સેવા આપી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં મારૂતિનગર પ્રભાત શાખામાં તેઓ મુખ્યશિક્ષક તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે. મો. ૯૮૨૫૦ ૨૯૧૮૬ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(3:21 pm IST)