Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

મોરબીના '' અકિલા'' ના પત્રકાર પ્રવિણભાઇ વ્યાસનો જન્મદિન

મોરબી તા ૧૨  : મયુરભૂમિની બહુરત્ન વસુંધરા ૫૨ ૧૯૫૯ માં જન્મેલા મોરબી જીલ્લાના લોકપ્રહરિ અને બહુમુખી પ્રતિભા ધરાવતા સિનીયર પત્રકાર પ્રવિણભાઇ વ્યાસ આજે ૬૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા છે.

૨૮ વર્ષ પહેલાં પત્રકારત્વક્ષેત્રે પદાર્પણ કરનાર તેઓએ શરૂઆતના તબકામાં રાજકોટ જીલ્લામાંથી પ્રગટ થતા તમામ સવાર સાંજના અખબારોના પ્રતિનિધી તરીકે અવીરત સેવાઓ આપ્યા બાદ છેલ્લા ૨૨ વર્ષથી તેઓ અકિલા પરિવારના સભ્ય તરીકે સાંધ્ય દૈનિક  ''અકિલા'' માં કાર્યરત છે. અકિલાના મોભી શ્રી કિરીટકાકાને પોતાના આદર્શ માનતા તેઓશ્રી જીવનના અંતીમ શ્વાસ સુધી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય રહી, પ્રજાના પ્રહરી તરીકે સેવાઓ આપવાની  ઇચ્છા ધરાવે છે.

સમસ્ત મચ્છુ કાંઠા વ્યાસ જ્ઞાતિ, વ્યાસ પ્રગતિ મંડળ, મોરબી પ્રેસ એસોસીએશન સહિતની સંસ્થાઓમાં વર્ષો સુધી  પ્રમુખ તરીકેની સેવાઓ આપી ચુકયા છે. હાલમાં પણ તેઓ અનેક સામાજીક  સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ છે. તેમજ વિશાળ મિત્ર મંડળ તરફથી મો.નં. ૯૮૨૫૪ ૮૭૪૧૨ પર જન્મદિનની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:35 am IST)