Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

રામાનંદી સાધુ સમાજના પ્રતાપભાઇ અગ્રાવતનો આજે જન્મદિવસ

રાજકોટઃ શ્રી પ્રતાપબાપુ અગ્રાવત (ખરેડીવાળા)નો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૫૮ વર્ષ પુર્ણ કરી ૫૯ વર્ષમાં પ્રવેશી રહયા છે.

કાલાવડ તાલુકાના ખરેડી ગામે ૧૯૫૧માં રામાનંદી સાધુ સમાજમાં પૂ. પ્રતાપબાપુનો જન્મ થયો. ૩૭ વર્ષ આદર્શ શિક્ષક તરીકે નોકરી પુરી કરી સાથે અયોધ્યાના સંત શ્રી રામબચ્ચનદાસ બાપુ પાસેથી રામાયણનું જ્ઞાન મેળવી સૌરાષ્ટ્રમાં રામ કથાના માધ્યમ દ્વારા ૨૯ હનુમાનજીના મંદિરોનો કરાવ્યો. સંગીત સાથે સંતવાણી દ્વારા ધાર્મિક સંસ્કૃતિ નો પ્રચાર કર્યો. વાસ્તુશાસ્ત્ર અને જયોતિષ જાણકાર પ્રતાપ બાપુએ પોતાની કમાણીમાંથી પક્ષીઓને ચણ, બાળકોને બટુક ભોજન, જરૂરીયાતમંદ વ્યકિતઓને આર્થિક સહાય અને સમૂહલગ્નમાં પોતાનું યોગદાન આપેલ છે. તેમને હનુમાન ચાલીસાની બુક વિનામૂલ્ય આપી ચાલીસા કંઠસ્ત કરાયેલ.  (મો.૯૯૦૯૧૬૩૮૨૭)

(11:37 am IST)