Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

વાંકાનેરના સેવાભાવી-પ્રેસ પ્રતિનિધિ હિતેશ રાચ્છનો આજે જન્મદિવસ

વાંકાનેર, તા. ૨૫ :. વાંકાનેરના સેવાભાવી-પ્રેસ પ્રતિનિધિ હિતેશભાઈ રાચ્છનો આજે ૪૯મો જન્મ દિવસ છે. તેઓ પૂ. ભોલેબાબાજી અને પૂ. સુમીરનદાસજીના શિષ્ય છે.

વાંકાનેરના શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર, જોડીયાધામ રામવાડી સહિત અનેક ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જન્મ દિવસ નિમિતે તાલાલાગીર શ્રી ઉદાસીન આશ્રમના પૂ. ગણેશદાસજી મહારાજ, શ્રી મનાશાદેવી આશ્રમના પૂ. નિર્મળદાસબાપુ, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરના પૂ. વિવેકસાગર સ્વામીજી, પૂ. ડી.કે. સ્વામીજી, વાંકાનેર શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિ, માટેલ આઈશ્રી ખોડિયાર માતાજી મંદિર, વાંકાનેરશ્રી ગાયત્રી મંદિરના અશ્વિનભાઈ રાવલ સહિતનાએ જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે. મો. ૯૮૨૫૪ ૪૨૮૫૭

(10:16 am IST)