Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

હેવ વીથ હેપીનેશના મહામંત્રી નિશ્ચલ જોષીનો કાલે રવિવારે જન્મદિન

રાજકોટ : આવતીકાલે તા.૯ના રવિવાર શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે રાજકોટ જીલ્લા ભાજપ નમો એપના ઈન્ચાર્જ, હેવ વિથ હેપીનેશના મહામંત્રી, નરેન્દ્ર મોદી વિચાર મંચના રાજકોટ જીલ્લા યુવા પ્રમુખ અને આરક્ષણ મુકત, ભારતના રાજકોટ જીલ્લાના યુવા પ્રમુખ નિશ્ચલ જોષીનો જન્મદિવસ છે. હેવ વીથ હેપીનેશ (એનજીઓ) દ્વારા વૃદ્ધાશ્રમ, બાળઆશ્રમ અને સરકારી શાળામાં જરૂરીયાતવાળા વ્યકિતને ડોકટરી તપાસ કરાવીને દવા અને ચશ્મા વિતરણ જરૂરીયાતવાળા બાળકોને કંપાસ અને જીલ્લા પંચાયત ચોક ખાતે જે રીક્ષાવાળાને બેતાળા નંબર હોય એમને આંખની તપાસ કરી અને ચશ્માનું ફ્રી વિતરણ કરવામાં આવશે. નિશ્ચલભાઈના જન્મદિવસ નિમિતે વિથ હેપીનેશ દ્વારા બજરંગવાળી સંસ્કારધામ સ્કુલમાં આજે સાંજે ૫:૩૦ થી ૭:૩૦ ભગવાન શ્રી સત્યનારાયણજીની કથા રાખેલી છે. કથામાં યજમાન તરીકે, મેહુલભાઈ ધોડકીયા અને પરીવાર, અલ્પેશભાઈ લેહરૂ અને રાજુભાઈ જુંજા અને પરીવાર બેસવાના છે. ગોર પદે કર્મકાંડી બ્રાહ્મણ જયેશભાઈ પંડ્યા સત્યનારાયણ કથા સંભળાવશે. (મો.૯૮૨૫૮ ૦૫૨૫૦)(૩૭.૬)

(3:53 pm IST)