Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

પોરબંદરના શિક્ષણવિદ ડો. ઇશ્વરભાઇ ભરડાનો આજે જન્મદિવસ

પોરબંદર તા.૭: માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો. વી.આર. ગોઢાણીયા બી.એડ કોલેજના ડાયરેકટર ડો. એ.આર. ભરડાનો આજે ૬૩મો જન્મદિવસ છે. તેઓ જામનગરના જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય પોરબંદરની આર.જી.ટી. કોલેજના પ્રિન્સીપાલ રાષ્ટ્રીય શિક્ષણનીતિ ન્યુદિલ્હીના સલાહકાર સહિત હોદા ઉપર રહેલ છે. રાજય સરકારની શિક્ષણ સંશોધન અને શિક્ષણ સુધારણાની વિવિધ અભ્યા સમિતિમાં સલાહકાર તરીકે તેમજ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે જેમના હાથ દ્વારા હાથ ધરાયેલ અનેકવિધ શિક્ષણ સંશોધનના નવતર પ્રયોગો ન્યુદિલ્હી અને એન.સી.ટી.ઇ. અને એસ.એચ.આર.ડી. નીયા. જેવી દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વીકાર પામી ગુજરાતને ગોૈરવ અપાવ્યું છે. શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. તેઓએ અનેક એવોર્ડ-સન્માન મેળવ્યા છે. મિત્રો,શુભેચ્છકો દ્વારા તેમને મો. નં. ૯૯૦૯૭૩ ૯૭૧૮ ઉપર જન્મદિવસની શુભકામના મળી રહેલ છે.

(12:06 pm IST)