Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

સર્વના સર્વકાલીન સ્નેહી સાંસદ મોહનભાઇ કુંડારિયાનો જન્મદિન

રાજકોટઃ સર્વના સર્વકાલીન સ્નેહી તરીકે જાણીતા સંસદ સભ્ય અને પૂર્વ કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી મોહનભાઇ કલ્યાણજીભાઇ કુંડારિયાનો જન્મ તા. ૬ સપ્ટેમ્બર ૧૯પ૧ના દિવસે થયેલ. આજે ૬૮માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ મૂળ નીચીમાંડલ ગામના વતની છે. ભૂતકાળમાં રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ, પડધરી-ટંકારાના ધારાસભ્ય, રાજયના ગ્રામ વિકાસ વિભાગના મંત્રી વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે તેમણે વિશ્વના વિવિધ રાષ્ટ્રોનો પ્રવાસ કર્યો છે. મો. ૯૮રપ૦ ૦પ૩૮૬ રાજકોટ. (૭.૮)

(12:14 pm IST)