Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

મેરીટાઈમ બોર્ડના સી.ઈ.ઓ. અવંતિકાસિંઘ ઔલખનો જન્મદિન

રાજકોટઃ. ગુજરાત મેરીટાઈમ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી શ્રીમતી અવંતિકાસિંઘ ઔલખનો જન્મ ૧૯૮૧ના વર્ષની તા. ૨ માર્ચે થયેલ. આજે ૪૧માં વર્ષના પંથે પ્રયાણ કર્યુ છે. તેણી મૂળ પંજાબના હોશીયારપુરના વતની (આઈ.એ.એસ. ૨૦૦૩) છે. ભૂતકાળમાં આણંદના જિલ્લા વિકાસ અધિકારી, આણંદ, ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં જિલ્લા કલેકટર, રાજ્યમાં રોજગાર તાલીમ નિયામક, ટેકનિકલ શિક્ષણ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. સિધ્ધાંતવાદી સનદી અધિકારી તરીકે જાણીતા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૩૫૪૬

મો. ૯૯૭૮૪ ૦૬૦૮૧ - ગાંધીનગર

(10:33 am IST)