Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

સદર ઉપાશ્રયના ટ્રસ્ટી

મધુકાંતભાઇ શાહનો કાલે જન્મદિન

રાજકોટઃ સદર ઉપાશ્રયનાં ટ્રસ્ટીશ્રી મધુકાંતભાઇ શાહનો આવતીકાલે તા.૫ના જન્મદિવસ છે. તેઓ જીવનના ૭૨ વર્ષ પૂર્ણ કરી ૭૩માં પ્રવેશ કરશે. તેઓએ ૩૫ વર્ષ બેન્ક ઓફ બરોડામાં કામ કરેલ છે. અને ચીફ મેનેજર તરીકે રીટાયર્ડ થયેલા છે. રાજકોટ સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળ -એનીમલ હેલ્પલાઇન, બહેરા મુંગા શાળા, મધર ટેરેસા આશ્રમ, જીવદયા ગ્રુપ રાજકોટ, શ્રી જનસેવા ટ્રસ્ટ, સાયલા પાંજરાપોળ વગેરેમાં સેવાઓ આપી રહયા છે. મધુકાંતભાઇ તથા તેમના પત્નિ નિત્ય સામાયિક કરે છે. સાધુ સાધ્વીજીઓની વૈયાવચ્ચમાં પણ અગ્રેસર રહે છે. એલ.આઇ.સી એજન્ટ છે. (મો.૯૮૭૯૯ ૭૨૮૯૩)

(3:23 pm IST)