Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

અપૂર્વ સંઘાણીનો કાલે જન્મદિવસ

આઈ.ટી. એન્જીનીયર

રાજકોટઃ સંઘનાં સ્વયંસેવક અપૂર્વ જયેશભાઈ સંઘાણીનો કાલે તા.૩નાં બુધવાર નાં રોજ જન્મદિવસ છે તેઓએ બી.ઈ. ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈ.ટી.) એન્જીનીયરીંગ વી.વી.પી. ઈજનેરી કોલેજમાંથી કરેલ છે.  હાલ તેઓ ભારતની ખ્યાતનામ ક્રીસ્ટલ ગ્રુપમાં આઈ.ટી. મેનેજર તરીકે તેઓ કાર્ય કરી રહયા છે.  તેઓને નાનપણથી દેશભકિત અને ધર્મનાં સંસ્કાર મળેલ છે.  જૈન ધર્મનાં સિધ્ધાંતો રોમેરોમમાં દોડતા હોઈ ર વખત અઠાઈ (આઠ ઉપવાસ) તથા ૧ વખત નવાઈ (નવ ઉપવાસ) કરેલ છે. સામાજીક અગ્રણી શ્રી જયેશભાઈ સંઘાણીનાં સુપુત્ર છે.  જન્મદિવસ નિમિતે સ્વ. રસીકલાલ હરીલાલ સંઘાણી પરિવાર, સ્વ. સવિતાબેન નીમચંદ મહેતા પરિવાર-મુંબઈ, પિતાશ્રી જયેશભાઈ સંઘાણી, માતુશ્રી તૃપતીબેન સંઘાણી, ભાઈ પ્રો. જયમીન સંઘાણી તેમજ ક્રિસ્ટલ ગ્રુપનાં ચેરમેન બાકીરભાઈ ગાંધી અને રાજીવભાઈ ગાંધી એ અભિનંદન પાઠવ્યા છે. મો.૯૪૦૯૦ ૦૮૩૩૭

(3:02 pm IST)