Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સોમનાથ મંદિર ટ્રસ્ટના એસ્ટેટ અધિકારી સુરૂભા જાડેજાનો જન્મદિન

પ્રભાસ પાટણઃ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના કાર્યદક્ષ એસ્ટેટ અધિકારી સુરૂભા જાડેજાનો કાલે તા. ૧૨મીએ રવિવારે જન્મદિવસ છે.

ધોરાજી પાસે આવેલ નાની મારડ ગામમાં તા. ૧૨/૭/૧૯૬૩ના રોજ જન્મેલા તેઓ સોમનાથ મંદિરમાં ૧૯૮૦થી સેવા બજાવી રહ્યા છે. રાષ્ટ્ર સેવા હોમગાર્ડઝમાં ૧૯૭૯થી જોડાયા બાદ તેઓને તેઓની સર્વાગી કામગીરી અનુલક્ષી  રાષ્ટ્રપતિએ દેશના ૫૦ અને રાજયના ૬ માંથી પ્રથમ નંબરે રાષ્ટ્રપતિએ એવોર્ડ ઘોષિત કરાયેલ છે. તેમને સોમનાથ હોમગાર્ડ કમાન્ડર તરીકે રાજ્ય સરકારે તેમની વયમર્યાદા પૂર્ણ થતા છતાં તેમની શ્રેષ્ઠ કામગીરી અનુલક્ષી એક વરસ વધુ એકક્ષેટેન્શન આપેલ અને બીજા વરસનું એકક્ષટેન્શન પણ મળવાની સંભાવના છે.

તાજેતરના કોરોના લોકડાઉનમા સોમનાથ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી જરૂરતમંદોને ભોજન પહોંચડવાની સેવામાં સક્રિય ફરજ નિષ્ઠ કર્મચારી તરીકે સૌની સાથે અગ્રેસર રહી તેમજ દરરોજ સાંજે મિત્ર મંડળની આગેવાનીમાં ગાય તેમજ અબોલ પશુઓને ચારો નાખવાની સેવા પ્રવૃતિમાં રાષ્ટ્રધર્મ બજાવ્યો. તેમના જન્મદિને ઠેર ઠેરથી અભિનંદન શુભેચ્છાઓ તેમના મો. ૯૪૨૮૨ ૧૪૯૧૧ ઉપર વરસી રહી છે.

(10:59 am IST)