Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

દિનેશભાઈ સવસાણીનો આજે જન્મદિવસ

રાજકોટઃ આજે તા. ૭ના રોજ  દીનેશભાઈ પરસોતમભાઈ સવસાણી ૪૮ વર્ષ પૂર્ણ કરી ૪૯ વર્ષ માં પ્રવેશ કરેલ છે. મદદનીશ શિક્ષક તરીકે જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાના રાફુદડ ગામે ફરજ બજાવે છે. તેઓ સંગીત શિક્ષા વિશારદ છે તથા તેઓ સંપૂર્ણપણે પ્રજ્ઞાચક્ષુ તથા અપરિણત છે. દીનેશભાઈ  ઘણા વર્ષોથી ૧૧૧ હનુમાન ચાલીસા નાં પાઠ રાજકોટ, સૂરત, જામનગર, ધ્રોલ, જુનાગઢમાં કોઈપણ જાતનો ચાર્જ લીધા વિનાં અલગ અલગ રાગમાં કરાવે છે.

દેશ- વિદેશના ભાવીકો તેમની સાથે મોબાઈલ દવારા સંપર્કમાં રહી પ્રભુભકિત તથા ધર્મચીંધ્યા માર્ગે આગળ વધતા રહે છે. હનુમાન દાદાના આશીર્વાદ થી તેમની છઠ્ઠી ઈન્દ્રીય ડેવલ્પ છે. ગીતાજીનાં દરેક શ્લોક પૂર્ણપણે કંઠસ્થ છે. તેઓ પશુ, પક્ષીઓ તેમજ અલગ અલગ વ્યકિતઓનાં અવાજ સારી રીતે કાઢી શકે છે.  સંકીર્તન મંદીરમાં ''રામ ધૂન'' ગવડાવવામાં તથા બોલવામાં તેમને ખૂબ જ આનંદ આવે છે. આજનાં દિવસે તેમનાં મો. ૯૯૧૩ર ૯૯૬પ૪ તથા ૬૩પ૩૬ ૯પરર૪ ઉપર ધર્મપ્રેમી ભાઈ બહેનો તથા મિત્રવર્તુળ તરફથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(3:15 pm IST)