Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

એનીમલ વેલફેર બોર્ડના સભ્ય મિતલ ખેતાણીનો કાલે જન્મદિવસ

રાજકોટઃ જાહેર જીવનના અગ્રણી સ્વ. નરોતમભાઇ ખેતાણીના પુત્ર ગુજરાત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સભ્ય, ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના પ્રેસ એન્ડ પબ્લીક રીલેસન્સ કમીટીના સભ્ય યુવા સમાજ સેવી મિતલ ખેતાણીનો આવતીકાલે તા.૮ ગુરૂવારે ૪૪મો જન્મદિવસ છે. પૂ. દિપચંદભાઇ ગારડીના હસ્તે ''ગારડી એવોર્ડ'' તેઓને મળી ચુકયો છે. ચિત્રલેખા દ્વારા સને ૨૦૧૫માં યુવા પ્રતિભા તરીકે વિશેષ લેખ પણ પ્રકાશીત થયેલ હતો. તેઓ લોહાણા મહાપરીષદમાં જો સેક્રેટરી વિવેકાનંદ યુથ કલબ જેવી સંસ્થા સાથે જોડાયેલા છે. શ્રી લોહાણા મહાાપરીષદ દ્વારા વૈશ્વિક રઘુવંશી પ્રતિભા અને શ્રેષ્ઠ રઘુવંશી ગૌસેવક તરીકેનો એવોર્ડ મળી  ચુકયો છે. જીવનસંગીની ડીમ્પલ પુત્રો માનસ અને ધર્મ તેમજ પરીવારજનોની ઉપસ્થિતિમાં અને ગં. સ્વ. માતુશ્રી હરદેવીબેન નરોતમભાઇ ખેતાણીએ શુભેચ્છા પાઠવી છે. (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯)

(4:25 pm IST)