Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

શ્રી રાજપૂત કરણી સેનાના જે.પી. જાડેજાનો આજે જન્મદિન

રાજકોટઃ સેવા-સમર્પણના ગુણો સાથે ક્ષત્રિય સમાજ સહિતના પ્રશ્ને સતત જાગૃત રહેતા શ્રી રાજપૂતી કરણી સેનાના ગુજરાતના પ્રભારી જે.પી. જાડેજાનો આજે જન્મ દિવસ છે. કોલેજકાળથી ગ્રાસરૂટ લેવલની કામગીરી બજાવી ઉત્કૃષ્ટ સામાજિક જવાબદારીઓ બજાવતા આવેલા ક્ષાત્રત્વના ગુણોથી સભર જે.પી. જાડેજા કરણી સેનાના માધ્યમથી માત્ર રાજપૂત સમાજ જ નહિ પરંતુ કોઈપણ સમાજની વ્યકિતને અસામાજિક તત્વો દ્વારા કે શાસન દ્વારા થતા અન્યાય સામે વિરોધ ઉઠાવવામાં અગ્રેસર રહે છે. તેમના પર આજે અભિનંદન વર્ષા થઈ રહી છે. (મો. ૯૮૨૫૩ ૦૦૦૯૭)

(1:12 pm IST)