Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

સાવરકુંડલાના રઘુવંશી અગ્રણી-ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ રાજુભાઇ શીંગાળાનો જન્મદિન

સાવરકુંડલા તા. ર૪ :.. સાવરકુંડલાના રઘુવંશી અગ્રણી રાજૂભાઇ શિંગાળાનો આજે જન્મ દિવસ છે. રાજૂભાઇ શિંગાળા આજે યશસ્વી જીવનનાં ૬૦ વર્ષ પુરા કરી ૬૧ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. શ્રી શિંગાળા અમરેલી જીલ્લા ચેમ્બર ઓફ કોમર્સ માં ઉપપ્રમુખ - જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશનમાં ઉપપ્રમુખ પ્રધાનમંત્રી પ્રચાર-પ્રસાર સમિતિનાં અમરેલી જીલ્લા પ્રભારી તેમજ સાવરકુંડલા નગરપાલીકાના અને શિક્ષક સમિતિનાં પૂર્વ સદસ્ય હોય વિશાળ મિત્ર વર્તુળ ધરાવે છે.

રાજુભાઇ શીંગાળા રાજકીય, સામાજિક અને સેવા ક્ષેત્રે સંકળાયેલા હોવા છતાં શહેરમાં નહીં પરંતુ જિલ્લાભરમાં બિનવિવાદસ્પદ વ્યકિત તરીકે તમામ જ્ઞાતિઓમાં છાપ ધરાવે છે. ૬૦ વર્ષ પુરા કરી ૬૧માં વર્ષનો શુભ સૂરજ ઉગ્યો છે.

આજે તેમનાં જન્મદિન નિમિતે તેમના મો. ૯૪ર૯૪ ૪૪પ૦૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:27 pm IST)