Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ધારાશાસ્ત્રી ટી.બી. ગોંડલીયાનો જન્મદિવસઃ ૬૯ પુરા ૭૦માં પ્રવેશ

રાજકોટ, તા.૧૨: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તૃત્ય વર્ષ શિક્ષીત એવા ધારાશાસ્ત્રીની રાજકોટ વકીલ મંડળમાં ૪૦ વર્ષથી વકીલાત કરતા કાયમી પ્રમુખ તરીકે નો માનમોભો ધરાવનાર એવા સરળ સ્વભાવના સજજનતાથી કર્મ કરવા ટેવાયેલા ઉમદા વ્યકિતત્વની પ્રતિતી કરાવનાર નિરોગી, નિશભીમાની સ્વભાવ ધરાવનાર તુલસીદાસ બી. ગોંડલીયાનો તા. ૧૨/૧/૨૦૧૯ના આજે  જન્મદિન નીમીતે શુભેચ્છા પાઠવતા મિત્ર મંડળ સીનીયર જુનીયર વકીલો દ્વારા લાગણીની ફોરમ ફેલાવી અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે.

એડવોકેટ તુલશીદાસ ગોંડલીયા રાજકોટ બાર એસોસીએશનમાં અલગ અલગ પદમાં લગભગ ૨૫ વખત ચુંટણીલડી ચુંટાઇ રાજકોટ બાદમાં ચાર વખત પ્રમુખ પદે કારોબાર સંભાળી ચુકેલ છે અને સરકારી વકીલ તરીકે સાડાસાત વર્ષ સેવા આપેલ હોય અને શુન્યમાંથી સર્જન કરી બહોળી પ્રતિષ્ઠા ધરાવનાર તુલસીદાસ ગોંડલીયાના જ્ઞાતિ તથા પરીવારજનોના સભ્યો દ્વારા તેમના મોબાઇલ નં. ૯૮૨૪૪૧૬૬૧૭ ઉપર જન્મદિનની શુભેચ્છા પાઠવવામાં આવેલ છે. આજે તેઓ ૬૯ પુરા કરીને ૭૦માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.(૨૨.૮)

(3:40 pm IST)