Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

વૃક્ષપ્રેમી અને કુમકુમ ગ્રુપના સ્થાપક પ્રમુખ મનોજભાઈ પટેલનો આજે જન્મદિવસ

રાજકોટઃ જાહેર જીવનના મોભી સેવાભાવી અગ્રણી કુમકુમ ગ્રુપના સ્થાપકશ્રી મનોજભાઈ પટેલનો આજે તા.૮મી જાન્યુ.ના રોજ જન્મ દિવસ છે.

તેઓ પ્રખર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકશ્રી વૃજલાલભાઈ પટેલ તેમજ તેમના પ્રેરણાસ્ત્રોત સમા માતુશ્રી શારદાબેનના પુત્ર છે વૃક્ષાનારાયણ, અબોલ જીવો માટે   વર્ષોથી સેવાકીય કાર્ય કરે છે.

શ્રી મનોજભાઈએ વૃક્ષારોપણ અને રકતદાન ક્ષેત્રે નમુનેદાર કામગીરી કરી છે. તેઓ નાનપણથી જ આર.એસ.એસ.ના વિચારોથી રંગે રંગાઈને સેવા- સંસ્કારોને ગળથુંથીમાં ઉતારી સેવાની આહલેક જગાવી છે. કુમકુમ ગ્રુપ સંસ્થા દ્વારા રાજકોટ શહેર તથા જીલ્લામાં હજારો વૃક્ષો વાવી તેમજ તેની જાળવણી માટે પીંજરા વિતરણ કરીને જાતે જ તેમની દેખભાળ કરીને આજે આ વૃક્ષો વટવૃક્ષો બની ગયેલ છે. સંસ્થા દ્વારા નબળા ગરીબ પરિવારોને દવા, ઈન્જેકશન, બ્લડની જરૂરીયાતો પુરી પાડતા હોય છે તેમજ ફુટપાથ પર વસતા ગરીબ પરિવારોને ધાબળા વિતરણ તેમજ ગરીબોની જઠરાગ્નિ ઠારવાનું સેવાયજ્ઞ ચલાવે છે. તેઓ તેમના જન્મદિને પશુ પક્ષીઓને ભોજન કરાવી જન્મદિવસ ઉજવણી કરશે. શ્રી મનોજભાઈ પટેલને મિત્ર વર્તુળો તેમજ વિવિધ સંસ્થાઓ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. (મો.૯૮૨૫૦ ૧૧૮૮૩)

(3:54 pm IST)