Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ખાંટ રાજપુત જ્ઞાતિના માસિક 'ધર્મવાણી'ના તંત્રી રામજીભાઇ મોરબીયાનો જન્મદિવસઃ ૭૩ પુરા

રાજકોટઃ તા.૮, નાની વયે અખબારી જગતમાં પ્રવેશ કરનાર રામજીભાઇ સવજીભાઇ મોરબીયાનો આજે જન્મદિવસ છે. રામજીભાઇનો જન્મ તા.૮/૧/૧૯૪૬ ના રોજ થયેલ હતો. તેઓએ ૧૯૫૮માં ૧૨ વર્ષની ઉમરે રાજકોટના ''જય સૌરાષ્ટ્ર પ્રિન્ટીંગ પ્રેસ''માં સ્વ. બાબુભાઇ ગણાત્રાની દેખરેખ નીચે પ્રેસ લાઇનની શરૂઆત કરી ઘણા વર્ષો સુધી કામ કર્યું ત્યારબાદ રાજકોટમાં ''મોરબીયા પ્રિન્ટર્સ'' નામથી પ્રેસની શરૂઆત કરી હતી. આજે તેને પણ ૨૫ વર્ષ પુર્ણ થયા છે. હાલમાં ખાંટ રાજપુત સમાજનું માસિક મેગેઝીન 'ધર્મવાણી' ચલાવે છે. તેઓના જન્મદિને વિશાળ મિત્ર વર્તુળ શુભેચ્છકો તેમના (મો.૯૪૨૬૯ ૬૭૯૬૭) પર શુભેચ્છા પાઠવી રહયા છે. (૪૦.૩)

(11:34 am IST)