Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

એડવોકેટ નયન આર. પજવાણીનો જન્મદિન : નવુ વરસ, વિતે સરસ

મેંદરડાથી કારકીર્દિનો કક્કો, રાજકોટમાં પ્રગતિની બારાક્ષરી

રાજકોટ :. શહેરના સુપ્રસિદ્ધ એડવોકેટ શ્રી નયન રમણિકભાઈ પજવાણી માટે આજના સૂરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. તેમનો જન્મ તા. ૫ જાન્યુઆરી ૧૯૭૮ના દિવસે થયેલ. આજે વાઈબ્રન્ટ જીવનના ૪૨માં વર્ષના પંથે પ્રસ્થાન કર્યુ છે.

મૂળ મેંદરડાના વતની રઘુવંશી રત્ન શ્રી નયન પજવાણીએ રેવન્યુ ક્ષેત્રે નામના મેળવી છે. તેઓ રાજકોટ નાગરિક બેંકના પેનલ એડવોકેટ છે. ઘડીયાલના કાંટા ચોટાડવાના બદલે સમયની સાથે ચાલવામાં માને છે. તેઓ માને છે કે નિષ્ઠાથી કરેલુ કાર્ય જરૂર પ્રતિષ્ઠા અપાવે છે. તેઓ જૂનાગઢના જાણીતા રઘુવંશી શ્રેષ્ઠી ઉમંગ હોઝીયરીવાળા ગિરીશભાઈ રૂપારેલના જમાઈ છે. તેમનામાં શિસ્ત, સેવા અને સહકારનો ત્રિવેણી સંગમ છે. તેઓ કહે છે કે,

હર સુબહ કો અપની સાંસોમેં રખો, હર શામ કો અપની યાદોમેં રખો, હર જીત અપની મુઠ્ઠીમેં હૈ, બસ મંજિલ કો અપની નિગાહોમેં રખો. 

મો. ૯૮૨૪૫ ૯૫૦૧૧ - રાજકોટ

 

(11:41 am IST)