Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

જામનગર લેઉવા પટેલ સમાજનાં પ્રમુખ મનસુખભાઇ રાબડીયાનો જન્મ દિવસ

જામનગર, તા.૩: લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયાનો આજ જન્મદિન છે.

વિદ્યાર્થીકાળથી જ વિદ્યાર્થીઓનાં પ્રશ્નો અંગે જાગૃત રહી અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં કરવામાં આવેલ કાશ્મીર બચાવો કાર્યક્રમમાં ગુજરાતનું નેતૃત્વ કર્યુ હતું. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાં બે ટર્મ જીલ્લા મહામંત્રી તથા બે ટર્મ જીલ્લા પ્રમુખ તરીકે સફળતા પૂર્વક જવાબદારી સંભાળેલ હતી.

રોટરેકટ કલબનાં ફાઉન્ડર પ્રેસીડેન્ટ તરીકે તથા રોટરી ઇન્ટરનેશનલ કલબમાં પણ ઘણાં વર્ષો સુધી સક્રિયપણે કાર્ય કર્યુ હતું. કોલેજનાં અભ્યાસની સાથે જામનગર શહેર-જીલ્લામાં દુરદર્શન કેન્દ્ર ન હોવાથી કેબલ નેટવર્ક દ્વારા કેબલ ટીવીનો ૧૯૮૭માં સૌ પ્રથમ પાયો નાખ્યો હતો અને કેબલ ટીવી મારફત ઇલેટ્રોનિકસ મીડિયામાં સ્થાનિક સમાચાર ૧૯૯૮થી શરૂ કરી ઇલેટ્રોનિકલ મિડીયાનાં પત્રકાર તરીકે સૌ પ્રથમ માન્યતા મેળવવાનું બહુમાન પણ મેળ્યું હતું. શહેરમાં આવેલ કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજનાં સૌથી નાની વયે પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેમના મો. ૯૮૨૪૨ ૬૪૪૪૪ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(3:48 pm IST)