Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

જુનાગઢ રાજગોર યુવક મંડળના પ્રમુખ કમલેશ ભરાડનો જન્મદિવસ

 જુનાગઢ, તા. ૩ : રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના પ્રમુખ કમલેશભાઇ બાલાશંકરભાઇ ભરાડનો આજે ૪રમો જન્મદિવસ છે.  તા. ૩-૧૦-૧૯૭૭ના રોજ જન્મેલ કમલેશભાઇ બી.કોમ સુધી અભ્યાસ કરી વિશ્વાસ ફાયનાન્સનો વ્યવસાય શરૂ કરી ૭ વર્ષ પૂર્વે રાજગોર બ્રાહ્મણ યુવક મંડળની સ્થાપના કરી જ્ઞાતિના યુવાનોને જ્ઞાતિજનોને એક સુત્રતાથી જોડી જ્ઞાતિના ઉત્કર્ષની અનેકવિધી કામગીરી કરી રહ્યા છે.

આ યુવક મંડળ દ્વારા પ્રતિવર્ષ સમૂહ ભોજન સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ તેજસ્વી તારલાઓના સન્માન પણ કરવામાં આવે છે અને જ્ઞાતિની અંદર સારા નરસા પ્રસંગોની વોટસએપ ગ્રુપ દ્વારા આ યુવક મંડળની જાણ કરે છે. આગામી દિવસોમાં જ્ઞાતિની વાડી માટે સંપાદીત થયેલ ૧૧૦૦ વારની જગ્યામાં બાંધકામ કામગીરી હાથ ધરવા ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે. કમલેશભાઇ રાજગોર યુવક મંડળના પ્રમુખ હોવા ઉપરાંત જુનાગઢ સમસ્ત બ્રહ્મયુવા સંગઠનમાં ઉપપ્રમુખ તેમજ જુનાગઢ શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. કમલેશભાઇના જન્મદિન નિમિતે મો. નં. (૯૮૯૮૬ ર૬૧૯૯) ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(4:06 pm IST)