Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ગુજરાતના નિવૃત અગ્રસચિવ વસંતભાઇ ગઢવીનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના આઇ.એ.એસ.કેડરના નિવૃત અધિકારી વસંતભાઇ ગઢવીનો જન્મ તા.૨૦ જાન્યુઆરી ૧૯૫૩ના દિવસે થયેલ. આજે ૬૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એમ.કોમ.ની પદવી ધરાવે છે. સરકારની સેવામાંથી નિવૃત થયા બાદ હાલ અદાણી ગૃપની યુવાનો માટેની સ્કીલ ડેવલોપમેન્ટ પ્રવૃતિ અને ભુજ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે. લેખન અને વ્યાખ્યાન ક્ષેત્રે પણ સક્રિય છે.

શ્રી વી.એસ.ગઢવી અગાઉ કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી રાજકોટ, સુરત અને અમદાવાદ જિલ્લા કલેકટર, રાજયના માહિતી નિયામક મનોરંજન કર કમિશ્નર, સહકાર સચિવ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીમાં અધિક મુખ્ય વહીવટી અધિકારી, નાણા નિગમના મેનેજીંગ ડીરેકટર, ખનીજ વિકાસ નિગમમાં મેનેજીંગ ડીરેકટર, પાણી પુરવઠા વિભાગના સચિવ, પાણી પુરવઠા બોર્ડના ચેરમેન, મહેસુલ વિભાગમાં અગ્રસચિવ, મુખ્ય માહિતી અધિકાર કમિશ્નર વગેરે પદ પર ફરજ બજાવી ચુકયા છે.

મો.   ૯૯૭૮૪ ૦૬૧૩૦ અમદાવાદ

(6:00 pm IST)