Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ભૂતપૂર્વ કલેકટર- કમિશનર એસ. જગદીશનનો જન્મદિન

રાજકોટ, તા. ૧પ : નિવૃત્ત સનદી અધિકારીશ્રી એસ. જગદીશનનો જન્મ તા. ૧પ જાન્યુઆરી ૧૯પ૩ ના દિવસે થયેલ. અ ાજે ૬૯ વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં રાજકોટ અને સુરતમાં મ્યુનિસિપલ કમિશનર, ઇંગ્લેન્ડ ખાતેના ભારતના મુખ્ય વહીવટી અધિકારી, ઉર્જા અને પેટ્રો કેમીકલ્સ વિભાગના અગ્રસચિવ, નર્મદા નિગમમાં એમ.ડી. વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે. ૧૯૯ર થી ૯૪ તેઓ રાજકોટના કલેકટર પદે હતા.

૧૯૮૭ ના અરસામાં રાજકોટના કમિશનર પદેથી તેમની બદલી થઇ તે વખતે બદલીના વિરોધમાં રાજકોટમાં તોફાન ફાટી નીકળ્યા હતા. ર૦૧૩માં અગ્રસચિવ પદેથી નિવૃત થયા બાદ હાલ અમદાવાદમાં નિવૃત જીવન ગાળી રહ્યા છે. મો. ૯૯૭૮૪ ૦પ૦૦૭ અમદાવાદ.

(4:29 pm IST)