Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

જામકંડોરણાના નવા માત્રાવડના મનસુખભાઇ મુળશા દ્વારા જન્મદિને દેહદાનનો સંકલ્પ

જામકંડોરણા તા. ૧૦ :.. તાલુકાના નવા માત્રાવડ ગામના ખેડૂત મનસુખભાઇ વલ્લભભાઇ મુળશા એ પોતાના જન્મ દિવસની દેહદાનનો સંકલ્પ કરી અનોખી રીતે ઉજવણી કરી હતી નાના એવા નવા માત્રાવડ ગામના ખેડૂતે આવા જ સંકલ્પ સાથે માનવતાનું કાર્ય કરી સમગ્ર પંથકમાં અનોખો દાખલો બેસાડયો છે.

ગુજરાત રાજય યુવક બોર્ડ મહર્ષિ દધિચી અંગદાન કાર્યક્રમ અંતર્ગત અંગદાન, ચક્ષુદાનના સંકલ્પોના કાર્ય અંતર્ગત આ કાર્યમાં જામકંડોરણા તાલુકાના સહસંયોજક સંતોષભાઇ રામાણી તથા મનસુખભાઇના પુત્ર પુજનભાઇ મુળશાના પ્રયાસોથી સંકલ્પ પત્ર ભરાવી આ જનજાગૃતિનું કાર્ય કરેલ છે જામકંડોરણા તાલુકામાં લોકો મનસુખભાઇને તેમના આ સંકલ્પથી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(11:27 am IST)