Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

જંકશન પ્લોટ ઉપાશ્રયના નીરવ સંઘવીનો આવતીકાલે જન્મદિવસ

રાજકોટઃ જંકશન પ્લોટ ઉપાશ્રયનાં કમીટી મેમ્બર તથા જીવદયા કાર્યકર   નીરવભાઈ સંઘવીનો કાલે તા. ૫ નાં રોજ જન્મદિવસ છે.  તેઓ શ્રી ઓપ્ટીકલ નામે ચશ્માનો હોલસેલ વ્યવસાય કરી રહયા છે.   જંકશનપ્લોટ ઉપાશ્રયમાં પણ તેઓ રાત દિવસ  કોઈ પણ કામમાં હંમેશ માટે તત્પર રહે છે. કોઇપણ મહારાજ સાહેબ તથા મહાસતીજીઓની   વૈયાવચ્ચમાં પણ અગ્રેસર રહે છે. જંકશનપ્લોટ ઉપાશ્રય દવારા દર રોજ કબુતરને ચણ, ગાયોને ખોળ તેમજ કુતરા તથા ગાયોને રોટલી ખવડાવવામાં આવે છે તેમાં પણ અગ્રેસર રહી પોતાની મદદ કરતા રહે છે. તેઓ જીવદયાગ્રુપમા  સ્વયસેવક તરીકે સેવા આપી રહયા છે. જન સેવા ટ્રસ્ટમાં પણ સેવા આપી રહયા છે.  

નાલંદા ઉપાશ્રયમાં સોનલભાઈ મહાસતીજીની નિશ્રા હેઠળ સેવા પ્રવૃતિમાં પણ તેઓ માનવસેવાનાં કામ કરી રહયા છે. અબોલ જીવોને બચાવવાની કામગીરી, જીવ છોડાવવાની કામગીરી તથા વૃઘ્ધાશ્રમ, પાંજરાપોળ, રામધણ બાપુના આશ્રમ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ - એનીમલ હેલ્પલાઈન, પાંજરાપોળનાં કાર્યમાં પણ એક યા બીજી રીતે મદદરૂપ થઈ રહયા છે.  તેમનાં મીત્રવર્તુળ તથા વડીલવર્ગ તરફથી નીરવભાઈ સંઘવીનાં (મો.ન.૯૮૨૫૨ ૩૦૭૦૫)ને અગાઉથી જ  શુભેચ્છા મળી રહી છે.

(4:35 pm IST)