Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

રાજકોટ જિલ્લા બેંકના ડીરેકટરનો જન્મદિન

'તાળા' પાસે સુખની 'ચાવી': આજે અરવિંદભાઈનો વન પ્રવેશ

રાજકોટઃ સહકારી ક્ષેત્રે સૌમાં સવાયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ડીરેકટર શ્રી અરવિંદ તાળા માટે આજના સૂરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. તેમનો જન્મ ૧૯૬૯ના વર્ષની તા. ૩ સપ્ટેમ્બરે થયેલ. આજે ચમકતા-દમકતા જીવનના એકાવનમાં વર્ષના પંથે પ્રયાણ કર્યુ છે.

મૂળ જામકંડોરણા તાલુકાના રાજપરા ગામના વતની શ્રી અરવિંદ તાળા અવધ કન્સ્ટ્રકશન એન્ડ ડેવલોપર્સના સફળ સંચાલક છે. અગાઉ રાજકોટ માર્કેટયાર્ડના ડીરેકટર તરીકે રહી ચૂકયા છે. સ્નેહ, સમજણ અને સેવા ભાવથી તેમણે આગવી ઓળખ ઉભી કરી છે. સાર્વજનિક ક્ષેત્રની સંસ્થાઓમાં વિવાદ ટાળવા સફળ મધ્યસ્થી બન્યાના ઉદાહરણો તેમની યશકલગીમાં છે. ('તાળા'ની ભૂમિકા 'ચાવી'રૂપ). આજે તેમના પર જન્મદિનની શુભેચ્છાના વાદળો વરસી રહ્યા છે.

મો. ૯૮૨૪૦ ૫૮૫૫૪ - રાજકોટ

(11:40 am IST)