Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

ખંત, ખુમારી, ખેલદિલીવાળા નેતા ડો.તેજશ્રીબેન પટેલનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતમાં ખંત,ખુમારી અને ખેલદિલીવાળા મહિલા નેતા તરીકે જાણીતા વીરમગામના પૂર્વ ધારાસભ્ય  ડો. તેજશ્રીબેન દિલીપભાઇ પટેલનો જન્મ તા.૨ સપ્ટેમ્બર ૧૯૬૪ના દિવસે સુરતમાં થયેલ તેમણે આજે યશસ્વી જીવનના છપ્પનમાં વર્ષની કેડીએ કદમ માંડયા છે. ડો.તેજશ્રીબેન પટેલ વીરમગામમાં ડોકટર ક(એમ.ડી.ગાયનેક) તરીકે કાર્યરત છે.ભુતકાળમાં અમદાવાદ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે પણ રહી ચુકયાં છે. હાલ ભાજપમાં સક્રીય છે. વાંચન, રમતગમત, સંગીત, ચલચિત્ર વગેરે તેમના શોખના  વિષયો છે. તેમણે વિશ્વના અનેક દેશોનો પ્રવાસ કર્યો છે. રાજકીય ચઢાવ-ઉતારમાં તેમનો જનસંપર્ક અતૂટ રહ્યો છે. વધે તેમની નામના, એવી જન્મદિનની શુભકામના (મો.૯૯૭૪૬ ૬૧૮૨૯)વીરમગામ.

 

(11:45 am IST)