Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

આર.એસ.એસ.નાં સનિષ્ઠ સ્વયંસેવક જયેશભાઈ સંઘાણીનો જન્મદિવસ

રાજકોટઃ નાનપણથી જ દેશભકિતનાં રંગે રંગાયેલા રાષ્ટ્રીયસ્વયંસેવક સંઘનાં  સનિષ્ઠ સ્વયંસેવક કાર્યકર અને જીવદયાપ્રેમી શ્રી  જયેશભાઈ સંઘાણીનો આજરોજ જન્મદિવસ છે.  તેઓ પત્ર લેખનમાં સદાય જાગૃત છે.   વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ નોલેજ સેન્ટર ગ્રંથાલયમાં કોલેજ સ્થાપનાકાળથી પોતાની સેવાઓ આપી રહયા છે. હાલમાં તેઓ લાયબ્રેરીમાં પ્રોફેસનલ આસીટન્ટ તથા પી.આર ઓ. તરીકે તથા પ્રચાર પ્રસારની જવાબદારી વહન કરી રહયા છે. સહકાર ભારતીનાં રાજકોટ શહેરનાં મહામંત્રીની જવાબદારી નિભાવી રહયા છે.  તેમજ રાજકોટ નાગરીક સહકારી બેંક, કાલાવડ રોડ, બ્રાંચમાં છેલ્લા સાત વર્ષથી વિકાસ સમિતિનાં સહકન્વીનર તરીકે સેવા આપી રહયા છે. આ અગાઉ તેઓએ બાર એસોસીએશનમાં ગ્રંથપાલ તરીકે ૧૬ વર્ષ કામ કરેલ છે.  જૈન ધર્મનાં ચુસ્તનિયમ પાળતા તેમનાં ધર્મપત્ની તૃપ્તીબેન તથા બન્ને પુત્રો જયમીન તથા અપૂર્વ એ આ અગાઉ બે વાર ૯ દીવસનાં ઉપવાસ સાર્થક રીતે પૂર્ણ કરેલા છે. મો.૯૪ર૮ર૦૦પર૦

(12:42 pm IST)