Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

હૃદયરોગના નિષ્ણાંત ડો.વિરલ જીવરાજાનીનો આજે જન્મદિવસ

રાજકોટ : હૃદયરોગ અને ડાયાબીટીસના રોગના નિષ્ણાંત યુવા ડો.વિરલ જીવરાજાનીનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ રાજકોટના જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો.કૌશિક વી. જીવરાજાનીના પુત્ર છે. શહેરમાં હાર્દસમા મોટી ટાંકી ચોકમાં જીવરાજાની હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. તેમના ધર્મપત્નિ ડો.બંસરી જીવરાજાની (દાંતના રોગના નિષ્ણાંત) છે. તેમના જન્મદિને 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાના આર્શીવાદ મેળવ્યા હતા. ડો.વિરલના જન્મદિને પરિવારજનો, મિત્રવર્તુળ તેમજ તબીબી મિત્રો દ્વારા શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. (મો.૭૬૯૮૧ ૪૬૫૬૪)

(4:21 pm IST)