Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ચુંવાળીયા કોળી સમાજ - ગુજરાતના પ્રમુખ વિરજીભાઈ સનુરાનો જન્મદિન

રાજકોટ : ચુવાળીયા કોળી સમાજ - ગુજરાતના પ્રમુખ શ્રી વીરજીભાઈ સનુરાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૬૭ વર્ષ પૂર્ણ કરી ૬૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. છેલ્લા ૩૫ વર્ષથી સમાજ સેવાના ભેખધારી રહેલા, ચુંવાળીયા કોળી બોર્ડીંગ પૂર્વ પ્રમુખ, સંત શ્રી વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિના પૂર્વ પ્રમુખ તથા સમૂહલગ્ન સમિતિના પૂર્વ પ્રમુખ, સંત શ્રી વેલનાથ આહલેકના પ્રખર હિમાયતી, લેબર યુનિયન ગુજરાતના મહામંત્રી હ્યુમન રાઈટ્સ એકસેસના ગુજરાત વાઈસ ચેરમેન સ્પષ્ટ વકતા, નિતી રાજકીય, અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. વીરજીભાઈના જન્મદિવસે મો.૯૬૨૪૯ ૯૯૯૬૨/૯૭૨૩૩ ૯૮૩૮૦ ઉપર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.

(1:28 pm IST)