Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

બેન્કર્સ ટુ એડવોકેટ પ્રફુલભાઈ ચંદારાણાનો જન્મદિન : ૬૩માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : બેન્કર્સ ટુ એડવોકેટ શ્રી પ્રફુલભાઈ ચંદારાણાનો આજરોજ જન્મદિવસ છે. તેઓ આજે અષાઢી બીજના દિવસે ૬૨ વર્ષ પૂર્ણ કરી ૬૩માં વર્ષમાં પ્રવેશ કરે છે. પત્રકારીત્વના અભ્યાસ સાથે બીકોમ, એલએલબી, બીજેએમસી, ડીપ્લોમા લેબર લોઝની ડીગ્રી ધરાવે છે. ૧૯૭૬-૭૭ કોર્ટની સર્વિસથી કારકિર્દીની શરૂઆત કર્યા બાદ ૪૦ વર્ષની બેન્ક ઓફ બરોડામાં સેવા આપી રીટાયર્ડ બાદ ફરી વકીલાત ક્ષેત્રે ઝંપલાવ્યુ છે. બેન્કમાં તેઓએ એડમીન - લીગલ - ફાયનાન્શીયલ ઈન્કલુઝન જેવી મહત્વની જવાબદારી સંભાળેલ. બેન્ક દ્વારા સ્ટાર પર્ફોર્મન્સનો 'પર્ફોર્મન્સ ઈન બીઝનેસ ગ્રોથ'નો બેસ્ટ એવોર્ડ ૨૦૧૫માં પ્રાપ્ત કરેલ. તેઓ અભિનવ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી રઘુવંશી મેનેજીંગ ટ્રસ્ટી તરીકેની સેવાઓ આપવા ઉપરાંત વિરાણી હાઈસ્કુલ રાજકોટના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે. ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં એકટીવ થવાના ભાગરૂપે તેઓએ તાજેતરમાં જ હેમરેડીયોની પરીક્ષા પણ આપેલ છે. તેઓએ માઉન્ટીંગ તેમજ ટ્રેકીંગ પણ કરેલ છે. જીવનસંગીની શ્રીમતી મીતાબેન ચંદારાણા તેમના જીવનની રંગોળીમાં સુખના રંગ પૂર્યા છે. (મો.૯૨૬૫૧ ૪૭૬૪૨)

(3:09 pm IST)