Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

વાણીના પુષ્પોથી સૌરભ ફેલાવતા અનિલપ્રસાદ શાસ્ત્રીનો જન્મદિન

રાજકોટઃ હૃદયમાંથી ઉદ્ભવતી વાણીને શ્રોતાઓના હૃદય સુધી પહોંચાડતા સુપ્રસિધ્ધ કથાકાર શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદજી જોશીનો જન્મ તા.૧પ માર્ચ ૧૯૫૯ના દિવસે થયેલ. આજે ભાવ અને પ્રભાવથી ભરપુર જીવનના એકસાંઇઠમાં વર્ષના પંથે પ્રસ્થાન કર્યુ છે.

મૂળ જસદણ પંથકના ઝુંડાળાના વતની શ્રી અનિલપ્રસાદજી જોષી શ્રીમદ ભાગવત, રામાયણ, શિવમહાપુરાણ વગેરેના કથાકાર તરીકે ખૂબ લોકચાહના ધરાવે છે. વાણીના પુષ્પોથી વિદ્વતાની સૌરભ મહેકાવી રહ્યા છે. વ્યાસપીઠ પરથી કથાની સાથે સમાજ ઉપયોગી વિષયોને આવરી લઇને લોકશિક્ષણનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. ઉચ્ચ શિક્ષિત કથાકાર હોવા ઉપરાંત જયોતિષ શાસ્ત્રના ઉંડા અભ્યાસુ છે. આજે તેઓ જન્મદિનની શુભકામના વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. મો.૯૯૧૩૫ ૩૦૦૪૭ રાજકોટ

(3:42 pm IST)