Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

જુનાગઢના ધાર્મિક-જ્ઞાતિ-સહકારી સંસ્થાના વડા પ્રો. પી.બી. ઉનડકટનો કાલે જન્મદિન

જુનાગઢ, તા. ૧૩ :  ઝાંઝરડા રોડ સ્થિત જલારામ મંદિરના મુખ્ય દાતા અને આ ટ્રસ્ટના પાયોનિયર, તા. ૧૪-૩-૧૯૪૪ના રોજ જન્મેલા પ્રો. પી.બી. ઉનડકટ કાલે તેમના સેવાકિય જીવનના ૭પ વર્ષ પૂર્ણ કરી, ૭૬માં વર્ષમાં પ્રવેશ કરશે.

લોહાણા સમાજમાં આદરણિય અગ્રગણ્ય સ્થાન અને માન ધરાવતાં તેઓ ૪૦ વર્ષથી બોર્ડિંગના સેક્રેટરી તરીકે સુંદર સેવાઓ આપે છે. માધવ ક્રેડીટ કો. સોસા.ના ચેરમેન પદે શ્રેષ્ઠ કામગીરી બજાવે છે. અખિલ ગુજરાત લોહાણા સમાજની કારોબારીએ હાઇકમાંડનું સ્થાન તેમને આપ્યું છે. વિશ્વ લોહાણા મહાપરિષદમાં પ્રતિનિધિત્વ કરે છે. શિક્ષણ, સેવા અને સંબંધોના સમન્વય દ્વારા જીવન ઉજાગર કરનારના આ લોકસેવકનો મો. ૯૮૭૯પ ૩૦પ૮૩ છે.

(3:40 pm IST)