Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

પેન્શનર અને સિનીયર સીટીઝન સમાજના પ્રમુખ એમ. એ. પંજાનો જન્મદિન

 રાજકોટઃ તા.૨૫, રાજકોટ પેન્શનર અને સીનીયર સીટીઝન સમાજનાં પ્રમુખ શ્રી એમ.એ. પંજાનો આજે જન્મદિન છે તેઓ જીવનનાં ૭૯ વર્ષ પુર્ણ કરી ૮૦માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓના જન્મ જુનાગઢ જિલ્લાના માંગરોળ ગામે તા.૨૫ સપ્ટેમ્બર, ૧૯૩૯ના રોજ થયેલ ૧૯૬૦થી માંગરોળ ખાતે આરોગ્ય ખાતામાં મેલેરીયા વિભાગમાં નોકરીની શરૂઆત કરેલ. ત્યારબાદ ૧૯૬૩માં ભુજ-કચ્છ ખાતે બઢતી મળતા ત્યાં ફરજ બજાવેલ. ૧૯૬૪માં રાજકોટ ખાતે ૧૯૬૫માં યુનિયનની સ્થાપના કરેલ. ૧૯૭૨માં જુદા-જુદા મંડળો સાથે સંકલન કરી કર્મચારી મહામંડળ (રાજયકક્ષા)ની હડતાલમાં સક્રિય રસ લઈ ઘનશ્યામભાઈ ઓઝાની સરકારમાં ધરપકડ વહોરી આંદોલન સફળ બનાવેલ. ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના ઉપપ્રમુખ તથા રાજકોટ જીલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળ (રાજયકક્ષા તથા વિવિધ કર્મચારી મહાસંઘના કન્વીનર) પદે રહી ચૂકયા છે. ગુજરાત કર્મચારી ઉત્કર્ષ મંડળના પ્રમુખ તરીકે હાલમાં સલાહકાર તરીકે સેવા આપી રહેલ છે. તા.૩૦-૯-૯૭ના રોજ વયમર્યાદાને કારણે નિવૃત થયેલ છે. ધારાસભા રાજકોટ (૨)ની પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સામે ચૂંટણી લડેલ. વોર્ડ નં.૩, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી લડેલ. હાલમાં રાજકોટ ખાતે ભાવનગરના ઉતારામાં કર્મચારી મહામંડળ (રાજયકક્ષાના કાર્યાલય ખાતે સેવા આપી રહેલ છે. તેઓની જીલ્લા લેવલે સંકલન સમિતિમાં સરકારે નિમણુંક કરેલ છે.

ગુજરાત પેન્શનર ફેડરેશનના ઉપપ્રમુખ તથા ઝોનલ પ્રમુખ તરીકે પણ સેવા આપે છે. ઓગષ્ટ - ૨૦૦૫માં કર્મચારી / પેન્શનરોના અણઉકેલ પ્રશ્નો બાબતે સક્રિય કાર્યવાહી કરી લડત આપેલ. આ ઉપરાંત મુસ્લિમ સંસ્થા રાજકોટ શહેર જુમ્મા મસ્જીદમાં સેક્રેટરી તરીકે કાર્યરત તેમજ રાજકોટ નવાબ મસ્જીદ દાણાપીઠના સેક્રેટરી તરીકે ૮ વર્ષથી સેવા આપી હતી. શ્રી એમ. એ. પંજા (ફોન નં. ૦૨૮૧-૬૯૯૦૬૧૭) મો. નં. ૮૪૦૧૯ ૩૦૫૧૪, ૧૪- કુંભારવાડા, જુની જેલ પાછળ બગદાદ, મંઝીલ, રાજકોટ ખાતે સેવારત છે.(૩૭.૨)

(12:31 pm IST)