Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ગિરાસદાર રાજપૂત યુવા સંઘના મહામંત્રી મહેન્દ્રસિંહ જાડેજા (નાના ઇટાળાવાળા) નો જન્મદિન : ૫૫ માં પ્રવેશ

રાજકોટ તા. ૨૩ : ગિરાસદાર રાજપૂત યુવા સંઘ મહામંત્રી મહેન્દ્રસિંહ જટુભા જાડેજા (મુળ નાના ઇટાળા)નો આજે જન્મ દિવસ છે. સતત પ્રવૃત્તિમય જીવન ગાળતા મહેન્દ્રસિંહ હાલ રાજકોટ સ્થાયી છે અને વોર્ડ નં. ૧ માં ભાજપ બુથ વાલી તરીકે સેવારત છે. વ્યવસાયે કન્સ્ટ્રકશન ક્ષેત્ર ધમરોળી રહ્યા છે. ગિરાસદાર રાજપૂત યુવા સંઘની સમાજ ઉપયોગી સંસ્થાના હોદેદારો સર્વશ્રી બલભદ્રસિંહ ચુડાસમા દેવચડી ચેરમેન, પૃથ્વીસિંહ રાણા ચીફ ઓફીસર માન અધિકાર પંચ ભેસજાળ, જીતેન્દ્રસિંહ વાઘેલા મુળ અગોલ હાલ રાજકોટ મહામંત્રી ગિરાસદાર રાજપૂત યુવા સંઘ તથા કોર કમીટી સહીતના આગેવાનોએ તેઓને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે. સફળ જીવનના પપ માં વર્ષમાં પ્રવેશી રહેલ મહેન્દ્રસિંહ જાડેજા (મો.૯૮૨૪૮ ૨૫૯૭૫) ને ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(12:09 pm IST)