Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

એ.કે. રાકેશ ઝીંદાબાદ... પંચાયત ખાતાના અગ્રસચિવનો જન્મદિન

રાજકોટ : પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્રસચિવ શ્રી અમરેન્દ્રકુમાર રાકેશનો જન્મ તા. ૨૧ જુલાઇ ૧૯૬૪ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષના દ્વારે કદમ માંડયા છે. તેઓ મુળ બિહારના ગયા જિલ્લાના ટેકરી તાલુકાના અમરપુર ગામના વતની છે.

૧૯૮૯ની બેંચના ગુજરાત કડેરના આઇ.એ.એસ. કક્ષાના અધિકારી શ્રી એ.કે. રાકેશ અગાઉ ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટ જિલ્લા કલેકટર, નર્મદા નિગમમાં સંયુકત કમિશનર, રાજયમાં વિકાસ કમિશનર, નિર્મળ ગુજરાત અભિયાનમાં નિયામક, નાગરિક પુરવઠા નિગમમાં મેનેજીંગ ડીરેકટર, મેરીટાઇમ બોર્ડમાં મુખ્ય વહીવટી અધિકારી, કુટિર અને ગ્રામોદ્યોગ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૧૦૩  મો. ૯૯૭૮૪ ૦૭૩૨૮ ગાંધીનગર

(12:45 pm IST)