Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

જેતલસર : જિલ્લા તલાટી મંત્રી મંડળના નાયબ સચિવ અશોકભાઇ પંડયાનો જન્મદિન

જેતલસર તા. ૧૬ : મૂળ જેતપુર તાલુકાના જેતલસર ગામના અને હાલ રાજકોટમાં રહેતા અશોકભાઈ જે.પંડ્યાનો આજે ૧૬ મી જુલાઈ જન્મ દિવસ છે. તા.૧૬-૭-૧૯૬૦ ના રોજ જન્મ પામેલા અશોકભાઈ હાલ જેતપુર તાલુકાના જેપુર ગામે તલાટી કમ મંત્રીની ફરજ બજાવી રહ્યા છે. સાથે સાથે રાજકોટ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળના નાયબ સચિવ તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. પોતાના જીવનના ૫૮ વર્ષ પૂર્ણ કરી ૫૯ માં વર્ષમાં પ્રવેશ કરનાર અશોકભાઈ શૈક્ષણિક અને સહકાર ક્ષેત્રની પણ ઘણી સંસ્થાઓ સાથે જોડાઈને પોતાનાથી બનતી સેવાઓ નિશ્વાર્થ ભાવે બજાવી રહ્યા છે. તો સમસ્ત ખાંટ રાજપૂત સમાજ, જેતપુર તાલુકા નામની સંસ્થાના તેઓ કાયમી માર્ગદર્શક બની રહ્યાં છે. આગામી તા.૩૧-૭-૨૦૧૮ ના રોજ તલાટી મંત્રીની ફરજ પૂર્ણ કરી નિવૃત્તિ લેનાર અશોકભાઈ પંડ્યાને મો.નં. ૯૩૨૭૭ ૮૨૯૨૦ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(4:14 pm IST)