Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ધન્ય કાલની ઘડી રળિયામણી, થશે જે.બી. દ્વિવેદીની વર્ષગાંઠની વધામણી

રાજકોટ : ધન્ય આવતીકાલની ઘડી રળિયામણી, થશે શ્રી જયદીપ દ્વિવેદીની વર્ષગાંઠની  વધામણી... હા, આવતીકાલે તેમનો જન્મદિન છે. તે નિમિતે આજથી જ શુભેચ્છા વર્ષા શરૂ થઇ ચૂકી છે.

ચૂંટણી પંચમાં સંયુકત મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના સંયુકત સચિવ કક્ષાના પ્રતિભાવંત અધિકારી શ્રી જે. બી. દ્વિવેદીનો જન્મ તા. ૧પ જૂલાઇ ૧૯૬પ ના દિવસે થયેલ. આવતીકાલે તેમના યશસ્વી જીવનના ચોપનમાં વર્ષનું પ્રથમ પ્રભાત ઉગશે. તેઓ એમ. એ. ડીપ્લોમાં ઇન સિવીલ એન્જીનીયરીંગની પદવી ધરાવે છે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ર૦૧૯ ની ચૂંટણી માટે ઇ. વી. એમ. અને વીવીપેટને સ્પર્શતી બાબતોમાં સમગ્ર ગુજરાતના નોડલ ઓફીસર તરીકે પસંદગી કરીને તેમના ગૌરવના ગગનમાં વધુ એક 'સ્ટાર' ઉમેર્યો છે. વધે તેમની નામના, એવી શુભકામના..

ફોન નં. ૦૭૯ ર૩રપ૪૬૦૯

મો. નં. ૯૯૭૮૪ ૦૮ર૪ર ગાંધીનગર

(11:47 am IST)