Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

સોમનાથ મંદિર ટ્રસ્ટ ટેમ્પલ ઓફિસર સુરૂભા જાડેજાનો જન્મદિવસ

પ્રભાસ-પાટણ, તા.૧૨: વિશ્વપ્રસિધ્ધ ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટમાં મુખ્ય મંદિરોના ટેમ્પલ અધિકારી સુરૂભા જાડેજા આજે તેમના સફળત્તમ જીંદગીના ૫૫ વરસ પૂર્ણ કરી ૫૬માં  વરસમાં પ્રવેશે છે.

ધોરાજી પાસે નાની મારડ ગામમાં તારીખ ૧૨-૭-૬૩ના રોજ જન્મેલા તેઓ વિશ્વપ્રસિધ્ધ સોમનાથ મંદિરે ૧૯ જાન્યુ. ૧૯૮૦થી સેવા આપી રહ્યા છે. તેમની કુશળ-સાલસ અને કુનેહભરી કામગીરીને લઇ તેમને તાજેતરમાં જ ટેમ્પલ ઓફિસર તરીકે નિમણૂંક કરાઇ છે.

સોમનાથ દરિયામાં યાત્રિક-પ્રવાસી ડુબવાના કિસ્સામાં ભોગ બનનાર પરિવારોને મદદરૂપ સેવાઓ, ક્ષત્રિય સમાજ ટ્રસ્ટી-સચિવ અને હોમર્ગાડની વિશીષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રીશ્રીનો એર્વોડ પણ મળેલ છે. મો. ૯૪૨૮૨૧૪૯૧૧ ઉપર થઇ રહી છે.

(11:45 am IST)