Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ગુજરાત બ્રહ્મસમાજના મહામંત્રી યજ્ઞેશભાઇ દવેનો આજે જન્મદિવસ

નવાગઢ : ગુજરાત બ્રહ્મસમાજના મહામંત્રી ને બ્રહ્મ વિકાસ આયોગના કન્વીનર યજ્ઞેશ જગદીશભાઇ દવેનો આજે જન્મ દિવસ.

સણ ભંગુર મનુષ્ય શરીરને શાસ્ત્રકારોએ દુર્લભ પ્રાપ્તી કહ્યું છે. એમનું કહેવું છે કે આ શરીર દ્વારા યથોચીત ઉધમ કરવામાં આવે તો જીવનના અનંતકાળ સુધી સુખની પ્રાપ્તી થાય. ભગવાને કૃપા કરીને આપણને બુદ્ધ નામનું તત્વ આપ્યું છે જેનાથી માણસ સારા-નરસા, વિવેક-અવિવેક, ભલા-બુરાનો વિચાર કરીને બુરાઇઓનો ત્યાગ કરીને ભલાઇનો સ્વીકાર કરે છે જે માણસ ભગવાને આપેલી બુદ્ધિ દ્વારા સારા કામો કરે છે તે સફળ મનુષ્ય બને છે. આ શબ્દો હતા અમદાવાદના રહેવાસીને બ્રહ્મસમાજના મોભી સ્વ. પૂ. જગદીશભાઇ દવેના...

પિતાશ્રીના આ શબ્દો ગાઠે બાંધી સમાજ સેવા કાજે પોતાની યુવાની ખર્ચી રહેલા યજ્ઞેશભાઇ સમાજ માટે પ્રખર પુરૂષાર્થ કરી કંઇ કરી બતાવવાની સતત ઝંખના સેવી રહ્યા છે.

તાજેતરમાં અમદાવાદ ખાતે સમસ્ત બ્રહ્મસમાજના યુવાનો માટે એક જબરજસ્ત બીજનેસ મીટ યોજી સમાજના યુવાનો માટે રોજગારીના દ્વાર ખોલ્યા છે. તેમના પ૧માં જન્મ દીને મોબાઇલ ૯૮ર૪૦ પ૦૦૦૦ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(1:32 pm IST)