Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

શ્રી શિવશકિત શરાફી મંડળીના ચેરમેન તથા

સહકારી આગેવાન તથા લોકસેવક શ્રી હરગોપાલસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

''જીવનકે રાસ્તે હંમેશા ગુલઝાર રહે, ચહેરે પર આપકે સદા હી મુસ્કાન રહે, દેતા હૈ દિલ યહ દુઆ આપકો, જિન્દગી મે હર દિન ખુશીઓકી બહાર રહે''

રાજકોટ : શુન્યમાંથી સર્જન કરવું હોય તો શું કરાય એનો જો જવાબ મેળવવો હોય તો તમારે શ્રી શિવશકિત શરાફી સહકારી મંડળી લી.ના ચેરમેન શ્રી હરગોપાલસિંહ જાડેજા ને મળવું પડે. આજથી થોડા વર્ષો પહેલા તેમણે વાવેલું મંડળીરૂપી બીજ આજે એક ઘેઘુર વટવૃક્ષ બની ગયું છે. અને આ મંડળીરૂપી વટવૃક્ષ ૧૨૦૦૦ થી વધુ સભાસદો ને છાંયડો પુરૂ પાડી રહયું છે. વિશાળ સહકારી પ્રવૃતિના પ્રણેતા અને હૈયે સમાજનું હીત ધરાવતા આજીવન લોકસેવક શ્રી હરગોપાલસિંહ જાડેજાનો આજે જન્મ દિવસ છે. જીવનકાળના ૬૮ વર્ષ પૂર્ણ કરી તેઓ આજે ૬૯માં વર્ષમાં મંગલ પ્રવે કરી રહયા છે. ત્યારે તેમના ઉપર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહયો છે. અજાતશત્રુ સમુ ઉમદા વ્યકિતત્વ ધરાવતા બાપુ આજે ૬૮ વર્ષે પણ યુવાનને શરમાવે તેવા જોશથી સહકારી પ્રવૃતિમાં ગળાડુબ છે. માત્ર મંડળી જ નહિ પરંતુ સહકારી સંઘ સહિતની સંસ્થાઓમાં તેઓ સ્થાન શોભાવી રહયાં છે. સભાસદો-થાપણદારો-જરૂરીયાતમંદો વગેરેની સેવા કરવાનો જીવનમંત્ર ધરાવતા બાપુને એકવાર મળો તો આજીવન સંબંધ બંધાય જાય તેવું તેમનું અનેરૂ વ્યકિતત્વ છે. તેમણે શરૂ કરેલો મંડળીરૂપી સેવાયજ્ઞ આજે અનેક પરિવારોમાં ખુશાલીની જયોત પ્રગટાવી રહયો છે. નિરાભીમાની અને મળતાવડાપણા નો સ્વભાવ ધરાવતા બાપુને સભાસદો, થાપણદારો, સાથીઓ, મિત્રો-શુભેચ્છકો, સગા-સંબંધીઓ, સહકારી અગ્રણીઓ, એજન્ટમિત્રો, કર્મચારીઓ, નાગરિકો વગેરે જન્મદિવસની શુભકામના પાઠવી રહયા છે. તેમનો ફોન નં. છે. ૦૨૮૧-૨૩૭૫૮૭૬ (૧.૨)

(11:43 am IST)