Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ક્રિષ્ના પાર્ક ગ્રુપના સ્થાપક હરીભાઈ કણસાગરાનો આજે જન્મદિવસ

રાજકોટઃ ક્રિષ્ના પાર્ક ગ્રુપનાં ભિષ્મ પિતામહ શ્રી હરીભાઈ ગોવિંદભાઈ કણસાગરાનો આજે જન્મ દિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૬૧ વર્ષ પૂર્ણ કરી ૬૨માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. માણાવદર તાલુકાનાં વડા ગામે તા.૪-૭-૧૯૫૭માં સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલ હરિભાઈ મેટ્રીક પાસ થઈ ૧૯૭૯માં રાજકોટ આવી નાની એવી લારીમાં રેસ્ટોરન્ટ શરૂ કરેલ, તેઓનાં અથાગ્ પરિશ્રમથી ક્રિષ્ના પાર્ક ગ્રુપની સ્થાપના કરી. જેઓ ગૌપ્રેમી તેમજ સામાજ સેવક પણ છે. પટેલ પ્રગતિ મંડળનાં ટ્રસ્ટી તેમજ કણસાગરા ચેરી.ટ્રસ્ટનાં પ્રમુખપદ પણ શોભાવેલ છે, ધારાસભા અને લોકસભાની ચુંટણી પણ લડેલ છે. તેઓએ સમગ્ર ગુજરાતને સૌથી મોટો ક્રિષ્ના વોટર પાર્કની ભેટ પણ આપેલ, રાજકોટની સ્વાદ પ્રિય જનતાને હોટલ ક્રિષ્ના પાર્ક- રાજકોટ, ક્રિષ્ના પાર્ક ઈન- ગાંધીનગર, ક્રિષ્ના નેચરોપેથી રીલેક્ષેશન સેન્ટર- રાજકોટ, ક્રિષ્ના પાર્ક રીસોર્ટસ-દીવ, ક્રિસ્ટલ ફર્નિચર - રાજકોટનાં ચેરમેન તરીકે કાર્યરત છે. ટુંક સમયમાંજ સોમનાથ- વેરાવળ ખાતે આધુનિક હોટલનું નિર્માણ પણ શરૂ કરવામાં આવેલ છે. તેઓનાં નેજા હેઠળ નવરાત્રી દરમ્યાન ગરબી મંડળની બાળાઓ માટે જમણવાર તથા ક્રિષ્ના વોટર પાર્કની નિઃશુલ્ક એન્ટ્રી ટીકીટ સાથે સાથે અનાથાશ્રમનાં બાળકોને પણ દર વર્ષે ફ્રી વોટરપાર્કની ટીકીટો આપવામાં આવે છે, નવરાત્રીમાં છેલ્લા ૧૮ વર્ષથી નહિં નફા- નહિં નુકશાન સાથે સ્નેહી- મીત્રો- સગા સંબંધીઓ માટે ક્રિષ્ના નટખટનું ટોકન ચાર્જે નવરાત્રી મહોત્સવનું પણ આયોજન કરતા આવ્યા છે. આજરોજ જન્મદિવસે તેઓને ભાઈ સુરેશભાઈ તેમજ સંજય, જય તથા ક્રિષ્ના પાર્ક સ્ટાફ પરીવારે શુભેચ્છા પાઠવી છે. ગૌ.૧૦૮શ્રી પરાગકુમારજી મહોદયશ્રીએ આશિર્વાદ પાઠવેલ છે. મો.૯૮૨૪૨ ૮૪૧૦૫

(4:03 pm IST)