Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

મદદનીશ સરકારી વકીલ સમીર ખીરાનો જન્મ દિવસ

રાજકોટ, તા. ૪ :. લોકલાડીલા અને જાણીતા એવા સરકારી વકીલ સમીર એમ. ખીરાનો આજે જન્મ દિવસ છે. જેઓએ છેલ્લા ઘણા વર્ષોથી ફોજદારી કેસો ચલાવવામાં નિષ્ણાંત છે. સમીર એમ. ખીરાની સારી કામગીરીથી ગુજરાત સરકારે સરકારી વકીલ તરીકે પસંદગી પામેલ છે અને સરકાર તરફેના અસંખ્ય કેસોમાં ચુકાદાઓ લાવેલ છે તેમજ ઘણા નામી કેસોમાં સજાઓ પડાવી સરકાર તરફે ચુકાદાઓ લાવેલ છે. સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજમાં ખૂબ સારી નામના ધરાવે છે. લો-કમિશન ઓફ ઈન્ડીયાના સભ્ય એવા અભયભાઈ ભારદ્વાજ તથા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સભ્ય દિલીપભાઈ પટેલે તથા રાજકોટના તમામ એડવોકેટો, બ્રહ્મસમાજ અગ્રણીઓ અને મિત્ર વર્તુળોએ સમીરભાઈ ખીરાને મો. ૯૮૨૫૭ ૬૫૨૦૦ ઉપર જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવેલ છે અને તેમના સંબંધીજનો તથા સમાજમાંથી તેમને જન્મ દિવસની શુભેચ્છા આપવામાં આવે છે.

(4:02 pm IST)