Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

મોટી મગફળીના દાણા જેવી 'કસવાળી' કારકીર્દિ

નાગરિક પુરવઠા નિગમના એમ.ડી. મનીષ ભારદ્વાજને હેપ્પી બર્થ ડે

રાજકોટ : ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડીરેકટર શ્રી મનીષ ભારદ્વાજ આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહયા છે. તેમનો જન્મ ૧૯૭૨ના વર્ષની ૮ ડીસેમ્બરે થયેલ આજે વાઇબ્રન્ટ જીવનના ૪૭માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે.

શ્રી મનીષ ભારદ્વાજ મૂળ ઉતરપ્રદેશના વતની  અને ૧૯૯૭ની બેંચના સચિવ કક્ષાના આઇ.એ.એસ. કેડરના  અધિકારી છે. એમ.ટેક.ની પદવી ધરાવે છે. અગાઉ જામનગર અને ભરૂચમાં જિલ્લા વિકાસ અધિકારી, મહેસાણા અને જૂનાગઢમાં જિલ્લા કલેકટર, વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર, યુવા સેવા સાંસ્કૃતિક વિભાગમાં કમિશનર, રાજયના રાહત કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. વહીવટી ક્ષેત્રની શ્રેષ્ઠ કામગીરી બદલ તેમને ગૌરવપૂર્ણ એવોર્ડ મળેલા છે. હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદીની જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં તેમની ચાવીરૂપ ભૂમિકા છે. તેમના જીવનસંગીની શ્રીમતી સોનલ મિશ્રા એસ.ટી. નિગમમાં મેનેજીંગ ડીરેકટર તરીકે ફરજ બજાવે છે. વધે બંન્નેની નામના, એવી જન્મદિનની શુભકામના.

ફોન નં. ૦૭૯ ૨૩૨૫૯૭૫૯

મો. ૯૯૭૮૪ ૦૭૧૧૨ ગાંધીનગર

(10:05 am IST)